સાંસ્કૃતિક કાર્યક્રમો જેવાકે – નૃત્ય, સંગીત, સાહિત્ય, યોગના આયોજન દ્રારા કલાકારોને પ્રોત્સાહન:

સંસ્થા દ્રારા વર્ષ 1994થી એટલે કે 27વર્ષથી શહેરની તમામ શાળા-કોલેજના હજારો વિદ્યાર્થીઓને આમંત્રિત કરી પોતાનામાંરહેલી નૃત્ય, સંગીત,સાહિત્યિક અને યોગની પ્રતિભાને એક મંચ પુરું પાડવા ભવ્યાતિ ભવ્ય 25 કરતા વધારેસાંસ્કૃતિક કાર્યક્રમોનું સફળ આયોજન કરેલ છે.

જેના કારણે સેકંડો વિદ્યાર્થીને તેમનીપ્રતિભાને ઉજાગર કરવાનો અવસર મળ્યો છે.

સરકારશ્રી દ્રારા યોજાતા યુવા પ્રતિભા,યુવા ઉત્સવના કાર્યક્રમોનું યજમાનપદ સ્વીકારી જેમાં જીલ્લા યુવા ઉત્સવનું આયોજન પણસામેલ છે.

આ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ પૈકી ઘણા પોતાનામનગમતા ક્ષેત્રે કારકિર્દી બનાવી ચૂક્યા છે,તો કોઈ બનાવવા અગ્રેસર છે જેને સંસ્થા દ્રારા નિરંતર પ્રોત્સાહન રહ્યું છે.